ચિતલ થી જેતલસર અને ઢસા રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કામકાજ આપશ્રી તેમજ અન્ય અધિકારીઓની દેખરેખ હેઠળ કોન્ટ્રાકટારોને ફાળવેલ કામ ચાલુ છે, છેલ્લા બે વર્ષ ઉપરનો સમય જતો રહેલ હોય ચિતલ તેમજ આજુબાજુના ગામો તેમજ બાબરા તાલુકાના ગામોના પ્રજાજનોને જુનાગઢ જવા માટે એસ.ટી. બસની સુવિધા અમરેલી અથવા બાબરા થી જ સેવા મળતી હોય અને જુનાગઢ ખાતે ધાર્મિક સ્થળો આવેલા છે, અને શિવરાત્રીના મેળામાં તેમજ ે અન્ય હરવા ફરવાના સ્થળો હોય અને ચિતલ, જશવંતગઢ તેમજ આજુબાજુના ગામો વેપાર ધંધાથી ચિતલ સાથે જોડાયેલ છે, લોકોને જુનાગઢ જવા માટે ચિતલ કે આજુબાજુના ગામોને બસની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તો તાકીદે બ્રોડગેજ રેલ્વે લાઈનનું અધુરુ રહેલ કામ વહેલીતકે પુરૂ કરાવવા અને રેલ્વેની સુવિધા આપવા તેમજ ચિતલ ને જંકશન સ્ટેશન આપવાની રજુઆત મેનેજરશ્રી, ડીવીઝન રેલ્વે ભાવનગરને અમરેલીના ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીએ કરી છે.
જેતલસર થી ઢસા રેલ્વે લાઈન બ્રોડગેજમાં રૂપાતંરનું કામ ત્વરીત પૂર્ણ કરવા અને ચિતલને જંકશન સ્ટેશન આપવાની માંગ કરતા : પરેશ ધાનાણી

Recent Comments