જય ભારત સાથ જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને અમરેલીના જેશીંગપરા વિસ્તારને અમરેલી મુખ્ય શહેર સાથે જોડતા જુના પુલની રેલીંગ તુટી ગયેલ હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતા રહેલી છે, આ પુલ ઉપરથી રોજ હજારો વાહનો તથા મુસાફરો પસાર થતાં હોય છે,જેશીંગપરા વિસ્તારના લોકોને ગજેરાપરા, બહારપરા, સુખનાથપરા, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, બટારવાડી હીરામોતી ચોક, સાવરકુંડલા ચોકડી વગેરે જેવા વિસ્તારમાં જવા માટે સૌથી સરળ અને અનુકૂળ આ જુના પુલવાળો રસ્તો રહે છે,જેથી કરીને જુના પુલ ઉપરથી લોકોની અવર-જવર વધુ રહે છે, માટે કોઈ મોટો અકસ્માત સર્જાય અને લોકોનો જીવ જોખમમાં મુકાય તે પહેલા આ જુના પુલની બંને બાજુ રેલીંગ કરવા માટે આપ સાહેબશ્રીને ભલામણ સહ વિનંતી કરું છું.
જેશીંગપરા -અમરેલી શહેરને જોડતા જુના પુલની રેલીંગ કરવા બાબત

Recent Comments