ભાવનગર

જેસર તાલુકાના માતલપર ગામ ખાતે ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા યોજાઈ

જેસર તાલુકાના માતલપર ગામ ખાતે ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા યોજાઈ હતી.આ તિરંગા યાત્રામાં બાળકોએ અવનવાં વેશ ધારણ કર્યા હતાં. જેમાં બાલિકાઓ દ્વારા ભારતમાતાનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર આયોજન માતલપર ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પિયુષભાઇ આચાર્ય નેજા હેઠળ થયું હતું. આમ, માતલપર ગામની પ્રાથમિક શાળાના આજ રોજ હર ઘર તિરંગા અંતર્ગત ‘તિરંગા યાત્રા’નું આયોજન કરાયું હતું.

Related Posts