ગરમીમાં તરબૂચ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તરબૂચમાં 95 ટકા પાણી હોય છે, જેનાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે. તરબૂચ ખાવાથી પાચનક્રિયા પણ સારી થાય છે. આ સાથે જ તરબૂચ પોટેશિયમથી ભરપૂર હોય છે જેના કારણે વજન ઉતારવા માટે પણ બહુ ફાયદાકારક છે. પણ શું તમે જાણો છો તરબૂચ ખાવાનો પણ એક સમય હોય છે? આમ, જો તમે તરબૂચ ખોટા સમયે ખાઓ છો તો હેલ્થને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય વધારે બગડી શકે છે. તો જાણી લો તમે પણ તરબૂચ ખાવા માટે સાચો સમય શું છે…
જાણો કયા સમયે તરબૂચ ના ખાવું જોઇએ
તરબૂચ અનેક પોષક તત્વોથી અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. પરંતુ આજે અમે તમને એક વાત જણાવી દઇએ કે ક્યારે પણ તરબૂચ રાત્રીના સમયે ખાવું જોઇએ નહિં. ખાસ કરીને ક્યારે પણ રાત્રે ઊંઘતા પહેલા તરબૂચ ખાવું જોઇએ નહિં. જો કે આ પાછળ વૈજ્ઞાનિક નહિં પરંતુ આર્યુવેદ કારણ એ છે કે રાત્રે તરબૂચ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે જે હેલ્થ માટે નુકસાનકારક છે.
જાણો રાત્રે તરબૂચ ખાવાથી હેલ્થને થતા આ નુકસાન વિશે…
- જો તમે રાત્રે તરબૂચ ખાઓ છો તો આંતરડામાં બળતરા થઇ શકે છે. આ સાથે જ પાચન ક્રિયા ધીમી પડે છે જેના કારણે ગેસની તકલીફ થઇ શકે છે.
- તરબૂચમાં પાણીની માત્રા વધારે હોવાથી તમે રાત્રે ખાઓ છો તો વારંવાર બાથરૂમ જવું પડે છે. જેના કારણે ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ કારણે પગમાં સોજા આવી જાય તેમજ સોડિયમની ઉણપ શરીરમાં થવા લાગે.
- આર્યુવેદ અનુસાર રાત્રે તરબૂચ ખાવાથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને પાચન સંબંધી અન્ય સમસ્યાઓ થઇ શકે છે.
Recent Comments