fbpx
ગુજરાત

ઝાંપાબજારમાં યુવકનો હાથ ઇલેક્ટ્રિક થાંભલાને અડકી જતાં મોતને ભેટ્યો

અડાજણના વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઝાંપાબજારમાં આદર્શ ચા સેન્ટરના નામે રેસ્ટોરન્ટ ચલાવતા કેયુર પટેલનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. મિત્રોને મળવા માટે ગયા હતા. દરમિયાન ઈલેક્ટ્રિક થાંભલા સાથે તેમનો હાથ અડકી જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાે કે, કેયુરભાઇને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝાંપાબજારમાં વર્ષોથી ચાલતા જાણીતા આદર્શ ચા સેન્ટરના માલિકને અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેની પાનની દુકાન નજીક ઇલેકટ્રીક થાંભલામાંથી કરંટ લાગ્યો હતો. આ બનાવમાં યુવાન વેપારી બેભાન થઇ જતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાેકે વધુ સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

અડાજણ પોલીસના જણાવ્યા મુજબ, સ્થાનિક વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા કેયુર શશીકાંત પટેલ શહેરના ઝાંપા બજાર ખાતે આદર્શ ચા સેન્ટરના નામે દુકાન ચલાવી રહ્યા હતા. આદર્શ ચા ના ટેસ્ટને લીધે કેયુરભાઈ શહેરમાં ચા રસિયાઓમાં ખાસ્સા એવા ફેમસ હતા.

દુકાનના સંચાલક કેયુરભાઈ ગુરુવારે સાંજે દુકાનેથી ઘરે પરત ફર્યા હતા અને રાત્રે મિત્રોને મળવા અને પાન ખાવા માટે અડાજણના ગંગેશ્વર મહાદેવ નજીકના ઘંટાવાલા પાન સેન્ટર પર ગયા હતા. જયાં ઇલેકટ્રીક થાંભલાને કેયુરનો અચાનક હાથ અડી જતાં ભેજ વાળા વાતાવરણને લીધે વીજ કરંટ લાગ્યો હતો. જેને પગલે રસ્તા ઉપર પટકાતા બેભાન થઇ ગયા હતા.

ઘટના અંગે પિતરાઇ ભાઇ કમલને જાણ થતાં તેઓએ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં કેયુરને ખસેડયો હતો જ્યાં વધુ સારવાર મળે એ પહેલા જ કેયુરભાઈનું મોત નિપજયું હતું.

Follow Me:

Related Posts