અમરેલી

ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે અથવા વિશેષ પેકેજ જાહેર કરવાની કૃષિ મંત્રીને રજૂઆત કરતા અમરેલી ધારાસભ્ય અને કૌશિક વેકરિયા

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડુંગળીનું વધુ પ્રમાણમાં વાવેતર થયેલ છે, તેમજ અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત ૧૦,૨૧૩ હેકટરમાં ડુંગળીના પાકનું વાવેતર કરવામાં આવેલ છે. હાલ બજાર કિંમત પ્રમાણે ડુંગળીના ભાવ ખૂબજ નીચા છે.

ખેડૂતોએ ડુંગળીના પાક પાછળ પુષ્કળ મહેનત, મજૂરી તેમજ ખર્ચની જહેમત ઉઠાવેલ હોઇ, તેમજ ખેડૂતોને ડુંગળીના પાકમાંથી સારૂ વળતર મળી શકે તે માટે રાજ્ય સરકાર ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે અથવા તો ડુંગળીના વાવેતર કરેલ ખેડૂતો માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરે તેવી શ્રી કૌશિક વેકરિયાએ રાજ્ય સરકારના માન. મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલને લેખિત રજૂઆત કરેલ છે.

Related Posts