રાષ્ટ્રીય

ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને આજીવન કેદની સજા, 10 લાખનો દંડ ફટકારાયો

દિલ્હીની એક સ્પેશિયલ કોર્ટ આતંકી ફંડિંગના મામલામાં આરોપી જાહેર થયેલ જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટના અલગાવવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદ અને 10 લાખના દંડની સજા સંભળાવી છે. સ્પેશિયલ ન્યાયાધિશ પ્રવિણ સિંહે યાસીનને 19મેના ગેરકાયદેસર ગતિવિધિ રોકવાના અધિનિયમ હેઠળ તમામ આરોપોનો દોષી ઠેરવ્યો હતો. યાલીન મલિકના કેસની સુનવણીના કારણે પટિયાલા હાઉસ કોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. 

સુનવણી શરૂ થઈ ત્યારે NIAએ આરોપી મલિક માટે ફાંસીની સજાની માંગ કરી. તમામ પક્ષોની અંતિમ દલિલો સાંભળતા કોર્ટે આ મામલામાં નિર્ણય બપોર સુધી સુરક્ષિત રાખ્યો હતો. સાથે જ રાષ્ટ્રીય તપાસ એજન્સીના ઓફિસરોને મલિકની આર્થિક સ્થિતિનું અવલોકન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેથી દંડની રકમ નિર્ધારિત કરવામાં આવી શકે.  

જણાવી દઈએ કે, આ મામલામાં મલિકને મોતની સજાનો થઈ શકે છે. જ્યારે તેના ગુના માટે તેની ઓછામાં ઓછી સજા આજીવન કેદ હોય શકે છે. યાસીને 10મેના કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ પોતાની વિરુદ્ધ લગાવવામાં આવેલ આતંકી અધિનિયમ, આતંકી ફંડિંગ, આતંકી હરકતો, દેશદ્રોહ વગેરેનો સામનો હવે નહીં કરે. 

આ દરમ્યાન અદાલતે ફારુક અહમદ ડાર ઉર્ફ બિટ્ટા કરાટે, શબ્બીર શાહ, મસર્રત આલમ, મોહમ્મદ યૂસુફ શાહ, આફતાબ અહમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ સહિત કશ્મીરી 20 અલગાવવાદી નેતાઓ વિરુદ્ધ ઔપચારિક રુપથી આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. 

Related Posts