અમરેલીના ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન કેન્દ્ર ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ પ્રબંધન માટેની પૂર્વ તૈયારીઓ અને સાધનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ આપત્તિ સમયે જનતાની સુરક્ષા અને તાકીદના સમયે એનડીઆરએફની તૈનાતી અને તેમની કામગીરીની સમજ આપી જનજાગૃત્તિ કેળવવાનો હતો. આ પ્રદર્શન દરમિયાન એનડીઆરએફની ટીમે વિવિધ આપત્તિઓમાં શું કરવું ? અને શું ન કરવું ? તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આ પ્રસંગે અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારી શ્રી નાકિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સકસેના, અમરેલી તાલુકા મામલતદારશ્રી નિમ્બાર્ક, મામલતદારશ્રી (ડિઝાસ્ટર), ડી.પી.ઓ. શ્રી સહિતના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
એનડીઆરએફની ટીમ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો અને તકનીકોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શન દરમિયાન અધિકારીશ્રીઓએ એનડીઆરએફની પ્રતિક્રિયા ક્ષમતાની પ્રશંસા વ્યક્ત કરી હતી અને આપત્તિના સમયમાં એનડીઆરએફની ભૂમિકાને બિરદાવી હતી. આપત્તિના સમયમાં એનડીઆરએફની સમર્પણ ભાવે સેવા માટે અભિનંદન આપ્યા હતા.
આ તકે એનડીઆરએફના જવાનોએ જન સામાન્યને આપત્તિ પ્રબંધન માટે જાગૃત્ત રહેવા અને એનડીઆરએફની માર્ગદર્શિકા અનુસરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના નિદર્શનોથી આપત્તિ પ્રબંધન માટેની લોકજાગૃત્તિ કેળવવામાં અને તૈયારીઓમાં વધારો થાય છે. જેથી જિલ્લાને આપત્તિ સમયે વધુ સુરક્ષિત અને સલામત બનાવવામાં મદદ મળી રહેશે
Recent Comments