રાષ્ટ્રીય

ડીઆરડીઓ યુદ્ધ ટેન્ક અર્જુનથી સ્વદેશી એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કરી બતાયો કમાલ

ડીઆરડીઓએ સ્વદેશી લેઝર-ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલની (છ્‌ય્સ્) મહત્વનું યુદ્ધ ટેન્ક અર્જુનથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારતીય સેનાના કેકે રેન્જ અહમદનગર મહારાષ્ટ્રમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિસાઇલે સટીકતાની સાથે ટાર્ગેટ કર્યો અને બે અલગ-અલગ રેન્જમાં પોતાના ટાર્ગેટ હાસિલ કર્યાં હતા. એનઆઈએ જણાવ્યું કે એટીજીએમને મલ્ટી-પ્લેટફોર્મ લોન્ચ કેપિસિટીની સાથે તૈયાર કરવામાં આવી છે અને હાલમાં અર્જુન ટેન્કની ૧૨૦ મિમી રાઇફલ્ડ ગનથી ટેકનિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટની સાથે મિનિમમથી મેક્સીમમ ટાર્ગેટ હાસિલ કરવાની ક્ષમતા પર હવે મહોર લાગી ગઈ છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે એટીજીએમ તૈયાર કરનાર ડીઆરડીઓ અને ભારતીય સેનાને આ સફળ પરીક્ષણ માટે શુભેચ્છા આપી છે. મંત્રાલયે કહ્યું- ડીઆરડીઓ અને ભારતીય સેનાએ યુદ્ધક ટેન્ક અર્જુન દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત લેઝર-ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. રક્ષા મંત્રાલયે કહ્યું- મિસાઇલોને બે અલગ-અલગ રેન્જમાં સટીક રૂપથી ટાર્ગેટ કરતા તેને સફળતાપૂર્વક નષ્ટ કરી દેવામાં આવ્યા.

ટેલીમેટ્રી સિસ્ટમે મિસાઇલોના સંતોષજનક ઉડાન પ્રદર્શનને નોંધ્યા છે. ભારતીય સેના તરફથી આ ટેસ્ટ તેવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકી સ્પીકર નેસ્લી પેલોસીની તાઇવાન યાત્રા બાદ ચીન આક્રમક થઈ ગયું છે અને તેણે સૌથી મોટી મિલિટ્રી ડ્રિલ શરૂ કરી તાઇવાનને ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. ચીન તરફથી તાઇવાનની સમુદ્રી અને હવાઈ સીમાની આસપાસ મિસાઇલ એટેક પણ કરવામાં આવ્યા છે. બેઇજિંગે આ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. ચીનના યુદ્ધાભ્યાસ દ્વારા ક્ષેત્રમાં તણાવ છે અને ભારત પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Related Posts