સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ આ વર્ષે ૩૧ માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધને આગામી આદેશો સુધી લંબાવવામાં આવ્યો છે.
સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ આ વર્ષે ૩૧ માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડ્ઢય્હ્લ્) એ ૨૨ માર્ચે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યો છે. વાણિજ્ય મંત્રાલયની એક પાંખ ડ્ઢય્હ્લ્ નિકાસનું નિયમન કરે છે અને આયાત સંબંધિત મુદ્દાઓ પર ર્નિણયો લે છે. સરકારે ૮ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. રવિ સિઝન, ૨૦૨૩માં ડુંગળીનું ઉત્પાદન ૨.૨૭ કરોડ ટન રહેવાનો અંદાજ છે.
મૈત્રીપૂર્ણ દેશોમાં ડુંગળીની નિકાસને આંતર-મંત્રાલય જૂથની મંજૂરી મળ્યા પછી કેટલાક વિશેષ કિસ્સાઓમાં મંજૂરી આપવામાં આવે છે. સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (દ્ગઝ્રઈન્) દ્વારા ેંછઈ અને બાંગ્લાદેશમાં ૬૪,૪૦૦ ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. અગાઉ, કેન્દ્રએ ગ્રાહકોને રાહત આપવા માટે ઓક્ટોબર ૨૦૨૩માં છૂટક બજારોમાં ૨૫ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે બફર ડુંગળીના સ્ટોકનું વેચાણ વધારવાનો ર્નિણય લીધો હતો.
દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૨૩માં તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધની અવધિ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી હતી. હવે સરકારે તેને આગામી આદેશ સુધી લંબાવ્યો છે. હવે નવા પાક પણ બજારમાં આવવા લાગ્યા છે. જ્યારથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી તેના ભાવ અડધા કરતા પણ ઓછા થઈ ગયા છે.


















Recent Comments