સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સ્કૂલમાં ક્લાસ લેવામાં આવ્યા તેમજ દેશના વિકાસમાં શિક્ષણનું મહત્વ અને જે શિક્ષકો દ્વારા અપાતું જ્ઞાન એનું મહત્વ પૂર્ણ શાળાના બાળકો દ્વારા આપવામાં આવ્યું સમગ્ર સ્કૂલનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું સારુ કૌશલ્ય ધરાવતા બાળકો દ્વારા આજે શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી અને શાળાના આચાર્ય રમેશભાઈ દ્વારા સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે અને આવા કાર્યક્રમમાં બાળકો વધારે પ્રમાણમાં ઉત્સાહી અને સુદ્રઢ સંચાલન થઈ શકે એ હેતુસર ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

Recent Comments