બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી જ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો ડ્રગ એંગલ પર તપાસ કરી રહી છે, જેમાં ઘણા લોકોનું નામ સામે આવ્યું છે. આ કેસમાં સુશાંતના મિત્ર અને ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની ૨૯મેના રોજ હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની જામીન અરજી બે વખત ફગાવી દેવામાં આવી છે.
સિદ્ધાર્થ પિઠાનીના વકીલ તારક સૈયદે જણાવ્યું, એનડીપીસી કોર્ટ (નાર્કોટિક ડ્રગ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ) દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના અનુસાર, કોર્ટે એટલા માટે જામીન નામંજૂર કર્યા છે કારણ કે તેમને તેમાં કોઈ યોગ્યતા નથી દેખાતી.
મે મહિનામાં ધરપકડ કરાયેલા સિદ્ધાર્થ પિઠાનીને ૨૫ જૂનના રોજ લગ્ન માટે બહાર આવવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ તેને ૨ જુલાઈએ ખુદ કોર્ટની સામે આત્મસપર્મણ કર્યું હતું. ત્યારબાદથી તેના દ્વારા દાખલ કરવામાં આવેલી બે જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે.
૧૪ જૂનના રોજ સુશાંતના મૃત્યુ સમયે સિદ્ધાર્થ પિઠાણી ઘરે જ હતો. સિદ્ધાર્થે બેડ પર ચડીને સુશાંતની બોડીને નીચે ઉતારી હતી. એક્ટરના ફ્લેટમાં હાજર બે અન્ય લોકો નીરજ અને કેશવ સાથેની પૂછપરછ બાદ સિદ્ધાર્થનું નામ ડ્રગ એંગલ સાથે જાેડાયું હતું.
સિદ્ધાર્થ પર આરોપ છે કે તે સુશાંતને ડ્રગ ખરીદવામાં મદદ કરતો હતો ત્યારબાદ તેની એનડીપીસી એક્ટની કલક ૨૭-એ અંતર્ગત ધરપકડ કરવામાં આવી.
Recent Comments