ગુજરાત

ઢોર નિયંત્રણ બિલમાં હજુ ઑફિસયલ ગેજેટ ના થાય ત્યાં સુધી મળી શકે છે રાહત

રખડતા ઢોર નિયંત્રણ બિલ મામલે સી.આર. પાટીલ નિવેદન બાદ આ બિલમાં સુધારાઓ કરવામાં આવી શકે છે.    રાજ્યમાં માલધારીઓ ના ભભૂકી રહેલા રોષને કારણે સરકાર દબાણમાં છે ત્યારે આ આગ વધુ ના ભભૂકી ઉઠી તે હેતુથી આ નિર્ણય લેવામાં આવી શકે છે. વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે માલધારી સમાજના મોટા વોટ બેંક પર અસર પડી શકે છે. જેથી સરકારે આ અંગેની બેઠકો પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.        રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે સી.આર. પાટીલે સૂચક મુલાકાત કરી આ અંગેની નિવેદન કર્યું છે. બેઠકમાં આ મુદ્દે મહત્વની ચર્ચા કરાઈ છે. ચોમાસુ સત્રમાં આ બિલમાં ફેરફાર થઈ શકે છે. ત્યાં સુધી આ બીલમાં હજુ ઑફિસયલ ગેજેટ ન થાય ત્યાં સુધી રાહત થઈ શકે છે.     ઢોર નિયંત્રણ કાયદામાં વિરોધ બાદ ભાજપ તરફથી મોટુ નિવેદન સીઆર પાટીલે આપ્યું હતું. જેથી કાયદામાં ફેરફાર થાય તેવી શક્યતા આગામી સમયમાં છે.  કાયદામાં સુધારણા માટે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવશે. આ પ્રકારનું મોટુ નિવેદન પાટીલે આપ્યું હતું. સીઆર પાટીલે મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલના કાયદા પ્રમાણેની જોગવાઈઓ રખડતા ઢોરના નિયંત્રણ માટે પૂરતી છે તેમ પણ સીઆર પાટીલે જણાવ્યું હતું.   મને વિશ્વાસ છે કે જરૂર સરકાર આ કાયદામાં ફેર વિચારણા કરશે તેવું સીઆર પાટીલે નિવેદન ઢોર નિયંત્રણ કાયદાને લઈને આપ્યું હતું. 

Related Posts