મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા તથા સરકારી વિનિયન કોલેજ-તળાજાનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૧/૦૮/૨૦૨૪ના રોજ સરકારી વિનિયન કોલેજ-તળાજા ખાતે ભરતીમેળો યોજાયો હતો. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના અગ્રગણ્ય ૦૫ નોકરીદાતા દ્વારા વિવિધ પોસ્ટ માટે વેકેન્સી નોંધાવેલ જે માટે
ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ડિપ્લોમા, સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો બહોળી સંખ્યામાં હાજર રહેલ.ઉપરોક્ત ઉમેદવારો પૈકી ૮૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તેવું મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરીની યાદીમાં જણાવાયું છે.
તળાજામાં તા. 21 ઓગસ્ટના રોજ રોજગાર ભરતી મેળો યોજાયો

Recent Comments