ભાવનગર

તળાજા ખાતે વૃંદાવન હોન્ડા પરિવાર દ્વારા  પતંગ વિતરણ કરવામાં આવ્યું

તળાજા શહેર ખાતે જરૂરિયાતમંદ બાળકોને પતંગ પર્વ ઉતરાયણ નિમિત્તે પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ ઉતરાયણ પર્વ નિમિત્તે તળાજાના વૃંદાવન હોન્ડા પરિવાર દ્વારા વિનામૂલ્યે પતંગ વિતરણ થયું હતું. સત્ય, પ્રેમ, કરુણા ફાઉન્ડેશન, ભગુડા ના લક્ષ્મણભાઈ કામળિયા તેમજ ભવસંગભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ પ્રવૃત્તિ થાય છે.

Related Posts