બોલિવૂડ

તારક મહેતાનો શો છોડ્યા બાદ શૈલેષ લોઢાએ વ્યક્ત કર્યું દુઃખ, કહી આ વાત..

પોપ્યુલર કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મેહતાની ભૂમિકા શૈલેષ લોઢા નિભાવતા હતા. પરંતુ થોડા સમય પહેલા તેમણે શો છોડી દીધો હતો. શૈલેષે શો છોડ્યો તો બધાને ઝટકો લાગ્યો હતો. હવે શૈલેષની જગ્યાએ શોમાં સચિન શ્રોફ તારક મેહતા તરીકે કામ કરી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી શૈલેષ લોઢાએ શો છોડવા પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પરંતુ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે. શૈલેષ આ શોમાં ૧૪ વર્ષથી છોડાયેલા હતા. તેમ કહેવામાં આવી રહ્યું હતું કે શૈલેષે શોના મેકર્સની સાથે અણબનાવ અને નવી તક શોધવા માટે શો છોડ્યો છે. પરંતુ હવે શૈલેષને જ્યારે ઈન્ટરવ્યૂમાં આ વિશે પૂછ્યુ તો તેમણે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે તે શો સાથે ઇમોશનલી પણ જાેડાયેલા હતા.

હકીકતમાં સિદ્ધાર્થ કનન સાથે વાત કરતા શૈલેષે કહ્યુ કે તે ૧૪ વર્ષથી શો સાથે ઈમોશનલી જાેડાયેલા હતા. તેમણે તે પણ કહ્યું કે ઇમોશનલ પાગલ હતા કે સેન્ટિમેન્ટલન ફૂલ હતા કે આ શો સાથે જાેડાયા. પછી જ્યારે શૈલેષને શો છોડવાનું કારણ પૂછ્યું તો તેમણે એક શેર કહ્યો- કુછ તો મજબૂરિયાં રહી હોંગી, યૂં હી કોઈ બેવફા નહીં હોતા. પછી શૈલેષ આગળ કહે છે, એવું નથી કે હું આ શો છોડવાનું કારણ નહીં જણાવુ. હું યોગ્ય સમય પર તે વિશે જણાવવાનો છું.  શૈલેષના શો છોડવા પર પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે એક ટેલેન્ટેડ એક્ટરને શોધી રહ્યાં છે અને બની શકે કે શૈલેષ પરત આવી જાય કારણ કે તેમને ખુબ ખરાબ લાગે છે જ્યારે તેમના એક્ટર્સ શો છોડે છે. અસિતે આગળ કહ્યું હતું, ‘મેં તેની સાથે થોડી વાત કરી હતી, પરંતુ વધુ કંઈ કરી શક્યો નહીં કારણ કે તેમને નવી તક મળી રહી હતી અને તે શો છોડવા ઈચ્છતા હતા. અમારી ઈચ્છા તે પરત આવે તેવી છે. પરંતુ છેલ્લે સુધી હું તેમની રાહ ન જાેઈ શકુ. શો અમારા બધા કરતા મોટો છે અને દર્શકો માટે મારે કોઈ રિપ્લેસમેન્ટ જાેઈએ જાે તે પરત ન આવે તો…

Related Posts