અમરેલી

તાલુકા સદસ્ય આશિષ અકબરી દ્વારા વાંકિયાના તમામ રૂટ ચાલુ કરાવવા વાહનવ્યાવહાર મંત્રીને રજુઆત

વાંકિયા ગામે સવારના ૭:૩૦ થી લઈને સાંજના ૬:૩૦ સુધીમાં એસ.ટી.નો એકપણ રૂટ નિયમિત નથી. પરિણામે વાંકિયા થી અમરેલી અપડાઉન કરવાવાળા આશરે રપ૦ થી ૩૦૦ મુસાફરો પરેશાન થાય છે. – આશિષ અકબરી.


અમરેલી તાલુકાના વાંકિયા ગામે સવારના ૭:૩૦ થી લઈને સાંજના ૬:૩૦ ના વાંકિયા-અમરેલી તથા અમરેલી-વાંકિયાના કુલ-૮ રૂટમાંથી એકપણ રૂટમાં એસ.ટી.બસ નિયમિત નથી. પરિણામે વાંકિયાથી અમરેલી અને અમરેલી થી વાંકિયા રોજના અપડાઉન કરવાવાળા શ્રમિકો, રત્નથકલાકારો, વેપારીઓ, મજુરો, વિદ્યાર્થીઓ તથા નોકરી કરતા રપ૦ કરતા પણ વધારે રોજમદારોને રોજના ૩ કિ.મી.ચાલીને નાછૂટકે વાંકિયા પાટિયાથી ખાનગી વાહનોનો આશરો લઈને ડબલ મુસાફરી ભાડૂ ચૂકવીને પોત-પોતાના ધંધાના સ્થમળે પહોંચવું પડે છે. ત્યાોરે અમરેલી તાલુકાના વાંકિયા બેઠકના જાગૃત,શિક્ષિત તથા યુવા એવા તાલુકા પંચાયતના સભ્યડ આશિષ અકબરીએ વાહનવ્યાવહાર મંત્રી માન.શ્રી આર.સી.ફળદુને તમામ રૂટ તાત્કાનલિક અસરથી ચાલુ કરાવવા ધારદાર રજુઆત કરી છે. આ તકે યુવા નેતા આશિષ અકબરીએ જણાવ્યું હતુ કે વાંકિયા ગામના ગ્રામજનોની કોઈપણ સમસ્યાેની રજુઆત કરવી તે મારી ફરજ છે

Related Posts