અમરેલી

તા.૨૫મીએ યોજાશે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

અરજદારોએ તા.૧૮મી સુધીમાં અરજી કરવી

રાજ્ય સરકારે નાગરિકોની સુખાકારી અને કલ્યાણ માટે અનેકવિધ કાર્યક્રમો અમલી કર્યા છે. જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરી રાજ્યની પ્રગતિશીલ સરકારે લોકોને પારદર્શિતાની અનુભૂતિ કરાવી છે. મહત્વનું છે કેઆગામી તા.૨૫ મે-૨૦૨૨ના રોજ સવારે ૧૧ વાગ્યે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સામુહિક કે નીતિવિષયક સિવાયના પ્રશ્નો નાગરિકો રજૂ કરી શકશે. અરજી કરનારે અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું. અરજદારોએ તા.૧૮ મે – ૨૦૨૨ સુધીમાં આ અરજીઓ લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચાડી દેવી.

Related Posts