લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ જૂન, ૨૦૨૪ના રોજ લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો તા.૧૮ જૂન, ૨૦૨૪ સુધીમાં તાલુકા મથકે, લાઠી તાલુકા મામલતદારશ્રી, લાઠી તાલુકા કચેરી, લાઠી જિ.અમરેલી ખાતે પહોંચતા કરવા. અરજીના મથાળે ‘તાલુકા સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે. સામૂહિક કે નીતિ વિષયક સિવાયના પ્રશ્નો રજૂ કરવા, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
તા.૨૬ જૂને લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશેઃતા.૧૮ જૂન સુધીમાં અરજી કરવી

Recent Comments