અમરેલી

તા.૨૭ નવેમ્બરે ખાંભા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે : તા.૨૨ નવેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

ખાંભા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ નવેમ્બર, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૨૨ નવેમ્બર,૨૦૨૪ સુધીમાં ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મોકલવા. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ ખાંભા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું.

Related Posts