રાષ્ટ્રીય

તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ બાદ હવે મંદિરો પર સરકારના નિયંત્રણને લઈને સવાલો ઉઠી રહ્યા

જાે લઘુમતીઓ તેમની સંસ્થાઓ ચલાવી શકે છે, તો હિન્દુઓ કેમ નહીં ઃ ફૐઁ તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ બાદ હવે મંદિરો પર સરકારના નિયંત્રણને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદે મંગળવારે દેશભરના મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો અને કહ્યું હતું કે તે આ લક્ષ્યને હાંસલ કરવા માટે ટૂંક સમયમાં દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. પત્રકારોને સંબોધતા ફૐઁના મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે જાે રાજ્ય સરકારો મંદિરોને હિંદુ સમુદાયને નહીં સોંપે તો સંગઠન કોર્ટમાં પણ જશે. તેમણે કહ્યું કે મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે, દરેક રાજ્યમાં પ્રથમ પ્રદર્શન અને આંદોલન કરવામાં આવશે અને તેઓ સંબંધિત મુખ્ય પ્રધાનો અને રાજ્યપાલોને તેમનું મેમોરેન્ડમ સુપરત કરશે. જૈને કહ્યું કે રાજ્ય સરકારો દ્વારા મંદિરોને પોતાના નિયંત્રણમાં રાખવા એ બંધારણનું ઉલ્લંઘન છે અને અદાલતો વારંવાર કહી રહી છે કે મંદિરો ચલાવવાનું કામ સરકારોનું નથી.

તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશમાં તિરુપતિ મંદિર એકમાત્ર એવું મંદિર નથી જ્યાંથી ‘પ્રસાદ’ બનાવવામાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ પહેલા કેરળના સબરીમાલા મંદિરમાંથી પણ ફરિયાદ આવી હતી. તેમણે કહ્યું કે દેશભરમાં રાજ્ય સરકારો દ્વારા નિયંત્રિત મંદિરની મિલકતોમાં નાણાકીય અનિયમિતતાના અહેવાલો છે. તમિલનાડુ અને રાજસ્થાનનું ઉદાહરણ આપતા જૈને કહ્યું કે તમે જાેઈ શકો છો કે આ રાજ્યોમાં મંદિરની સંપત્તિનો કેવી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. તામિલનાડુ સરકાર પર છેલ્લા ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવાનો આરોપ લગાવ્યો. જ્યારે રાજસ્થાનની અગાઉની અશોક ગેહલોત સરકાર પર મંદિરની જમીન ઈદગાહને આપવાનો આરોપ હતો. જૈને કહ્યું, જ્યારે લઘુમતીઓ તેમની સંસ્થાઓ ચલાવી શકે છે તો હિન્દુઓ કેમ નહીં, તેમણે કહ્યું કે, બંધારણની કલમ ૨૫ અને ૨૬ અમને અમારી સંસ્થાઓ ચલાવવાની મંજૂરી આપે છે. તિરુપતિ લાડુ વિવાદ પર, ફૐઁએ માંગ કરી હતી કે આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે અને પ્રસાદમની અપવિત્રતામાં સામેલ લોકોને સખત સજા આપવામાં આવે.

Related Posts