અમરેલી

તુલસી મહોત્સવ, શિવકુંજ આશ્રમ

શિવકુજ આશ્રમ, અધેવાડામાં ઉજવાયો તુલસીદાસ જયંતી નો દિવ્ય મહોત્સવ.”હરીને તુલસી દલ, હરને બિલ્વ દલ અને હનુમાનજીને તુલસી રચિત માનસની ચોપાઈઓ પ્રિય છે. ” – પૂ. સીતારામ બાપુ.તુલસીદાસજીની 525 મી જયંતી ની ઉજવણી અધેવાડા વિસ્તારમાં આવેલ શિવકુંજ આશ્રમે કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ સુંદરકાંડના પાઠ અને રામચરિત માનસની ચોપાઈના ગાન  અને પૂજ્ય સીતારામ બાપુએ આશીર્વાદ સાથે હાજર રહેલ વિશાળ રામભકતોનેઆવશ્યક શીખ આપી હતી અને જણાવ્યું હતું રામચરિત માનસ ભક્તિ પ્રધાન ગ્રંથ છે છતાં સમાજ જીવનમાં પણ અત્યંત આવશ્યક છે.

તુલસીદાસજી ની દરેક ચોપાઈઓ ભક્તિ ભાવવાળી હોવા ઉપરાંત સમાજ જીવનના દરેક આયામો માટે અતિ આવશ્યક છે કોઈપણ વક્તાનું વક્તવ્ય તુલસીજીની ચોપાઈના ઉલ્લેખ વગર અધુરુ લાગે છે. તુલસીદાસજી નું જીવન કવન વર્ણવતા પૂજ્ય બાપુએ ત્યાગી તુલસી, સંત તુલસી’ સાધુ તુલસી, આસકત તુલસી અને ગુરુ તુલસીના પ્રસંગ વર્ણવેલ. આ પ્રસંગે પોતાના ગુરૂદેવને યાદ કરી પૂજ્ય બાપૂએ જણાવેલ કે, “બચપનમેં જીન્હેં ફેક દિયા થા ધુલસે ભરે ૨સ્તો મેં આજ વો સર્જતે હૈ ગુલસે ભરે દસ્તોસે ..સમગ્ર કાર્યક્રમનું સંચાલન નોટરી એડવોકેટ શરદ ભટ્ટે કરેલ.

Related Posts