અમરેલી

દર્રીદ્ર નારાયણની સેવા કરતા સોજીત્રા બંધુઓની અવિરત સેવાઓને સો – સો સલામ.

અમરેલી શહેરમાં કોરોનાના કહેર વચ્ચે શહેરની વિવિધ હોસ્પીટલો તેમજ આઈસોલેશન સેન્ટરો, હોમ કોરન્ટાઈન
લોકોને છેલ્લા સાત દિવસથી અવિરત બંને ટાઈમ વિનામૂલ્યે ટીફીન પહોચાડવાની વ્યવસ્થા પી. પી. સોજીત્રા અને જે.પી.
સોજીત્રા દ્વારા શરૂ કરવામાં આવેલ. આજના આ કપરા સમયે જયારે દર્દીઓની સેવા કરવા માટે એના ઘરના સભ્યો પણ
તૈયાર નથી તેવા સમયે જે આ સેવા સોજીત્રા પરિવાર તરફથી શરૂ કરવામાં આવી છે તેની દર્દીઓ અને તેમના સગાસબંધીઓ
તરફથી ખૂબજ પ્રશંશા કરવામાં આવી રહી છે.

અમરેલી શહેરમાં આવેલ હોસ્પીટલો ડોકટર હાઉસ, સિવિલ હોસ્પીટલ, રાધિકા ગોળ હોસ્પીટલ, નવજીવન હોસ્પીટલ, રાધેશ્યામ હોસ્પીટલ, ગજેરા હોસ્પીટલ, એઈમ્સ હોસ્પીટલ, આસ્થા હોસ્પીટલ, પટેલ કન્યાછાત્રાલય, ગંગાબાઈની વાડી તેમજ નાની મોટી અન્ય હોસ્પીટલો અને કોરન્ટાઈન લોકો અંદાજીત ૩૦૦ થી ૪૦૦ ટીફીન બંને ટાઈમ વિનામૂલ્યે હિરામોતી ચોક, પટેલવાડીએથી પહોચાડવામાં આવી રહયા છે. આ કાર્યની અંદર સેવા આપતા તમામ સ્વયંસેવકો, બી.એમ. ચોક યુવક મંડળ, હિરામોતી ચોક, યુવક મંડળ, તથા વિશ્વ હિન્દુ પરિષદ, ભાવિનભાઈ સોજીત્રા, કાંતિભાઈ વઘાસીયા , ઘનશ્યામભાઈ રૈયાણી, ભરતભાઈ કાનાણી, મિતેનભાઈ ગુંદરણીયા, સુભાષભાઈ કાબરીયા, રાજુભાઈ ઝાલાવાડીયા, યોગેશભાઈ ગણાત્રા, જયસુખભાઈ કારેલીયા, ચેતનભાઈ મકવાણા, મુકેશભાઈ ટાંક, રાજુભાઈ ગઢીયા, જયંતિભાઈ ધાનાણી, રઘુભાઈ કાબરીયા, હિતેષભાઈ સોની, બિપીનભાઈ કાબરીયા, અશોકભાઈ બેકરીવાળા, ધર્મેન્દ્રભાઈ કાચા, પ્રકાશભાઈ કાબરીયા (પૂર્વ નગરસેવક) , ઘનશ્યામભાઈ કાબરીયા તથા ગિરીશભાઈ બોઘરા વિગેરે લોકો સેવા આપી રહયા છે. આ કાર્યની અંદર આર્થિક સહયોગ તેમજ વસ્તુઓ આપનારની નામાવલી નીચે મુજબ છે.

(૧) રૂા. પ૦,૦૦૦/– માતુશ્રી માનકુંવરબેન તિલકચંદ હસ્તે કાનજીભાઈ વોરા, (મોટા માંચીયાળા)
(ર) રૂા. ર૦,૦૦૦/– સંજયભાઈ કાબરીયા
(૩) રૂા. ૧૦,૦૦૦/– કાંતિભાઈ વઘાશીયા (લેઉવા પટેલ સોશ્યલ ગૃપ, પ્રમુખ)
(૪) રૂા. પ,૦૦૦/– ચંદાભાઈ ગજેરા , ગજેરાપરા
(પ) રૂા. ૧,૦૦૦/– પિયુષભાઈ કાકડીયા
(૬) રૂા. ૧,૦૦૦/– ધનસુખભાઈ ધારકેરાળા
(૭) રૂા. પ૦૦/– રશ્મીબેન વી. દેબુ (નવસારી)
(૮) રૂા. પ૦૦/– જયેન્દ્રભાઈ નિરંજનભાઈ
(૯) રૂા. પ૦૦/– કિશોરભાઈ માધડ

તેમજ ર૩ કટા ઘઉં – હસ્તે સંજયભાઈ કાબરીયા, પાંચ કિલો હળદર, મરચું મનિષભાઈ કાબરીયા તરફથી એક તેલનો
ડબો મનસુખભાઈ તથા મગનભાઈ કાબરીયા તરફથી તેમજ બંને ટાઈમ જે કાંઈ શાકભાજીની જરૂરીયાત હોય તે તમામ
શાકભાજી ઘનશ્યામભાઈ રૈયાણી, કાળુભાઈ રૈયાણી, મનિષભાઈ રૈયાણી– રૈયાણી પરિવાર તરફથી પુરૂ પાડવામાં આવશે.
તેમજ સોજીત્રા પરિવાર તરફથી પી. પી. સોજીત્રાસાહેબ અને જે. પી. સોજીત્રા સાહેબ તરફથી ખુટતી તમામ વસ્તુઓથી
માંડી તમામ જરૂરીયાત આ સેવા કાર્યમાં આ બંને ભાઈઓ તરફથી પુરી પાડવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદનાં ભરતભાઈ
કાનાણી તરફથી યાદી આપવામાં આવેલ છે.

Related Posts