દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પ માં દર્દી નારાયણો ને લાવવા લઈ જવા રહેવા જમવા અલ્પહાર ચા પાણી ચશ્માં દવા ટીપાં સહિત ની સુવિધા સંપૂર્ણ મફત આપતા આ કેમ્પ માં ઉનાળા ની ગરમી માં કોલ્ડ ફેકો મશીન થી ઠંડા ઓપરેશન અતિ અદ્યતન ટેક્નોસેવી ધરાવતી રાજકોટ ની સંતશ્રી રણચોદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરાશે રવજીભાઈ નાગજીભાઈ નારોલા ના સહયોગ થી કેમ્પ આવતા દરેક દર્દી નારાયણો ને અલ્પહાર સેવા આપી હતી ખૂબ મોટી સંખ્યા માં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો આ કેમ્પ માં દેવચંદભાઈ આલગિયા ભરતભાઇ ભટ્ટ કિશોરભાઈ વાજા રમાભાઈ પરમાર જ્યૂભાઈ જોશી બી એલ ચાવડા ધીરુભાઈ સોલંકી મહેશભાઈ પંડયા રમેશભાઈ જોશી પોપટભાઈ કકડીયા એ સેવા આપી હતી
દામનગર ગાયત્રી મંદિરે સંતશ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ યોજાયો


















Recent Comments