દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞ માં રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડસજી બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો એ સેવા આપી હતી ખૂબ મોટી સંખ્યા માં દર્દી નારાયણો એ લાભ મેળવ્યો અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતી સંત શ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલ રાજકોટ નો નેત્રયજ્ઞ દામનગર ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો તેમાં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો આવતા દર્દી નારાયણો ને ચીમનભાઈ ભીખાભાઈ નારોલા તરફ થી અલ્પહાર કરાવેલ આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર અને મોતિયા ના દર્દી નારાયણો ને સંપૂર્ણ ફ્રી નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓ માટે શુદ્ધ ધી.નો શિરો રહેવા જમવા ચા પાણી અલ્પહાર દવા ટીપા બ્લેન્કેટ ધાબળો અપાશે દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ શ્રી. ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞ ભવ્ય રીતે સંપન્ન થયો હતો
દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ સંપન્ન

Recent Comments