અમરેલી

દામનગર જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા માં વતન પ્રેમી દાતા પરિવાર નું પ્રેરક પરમાર્થ

દામનગર જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ના આશ્રિત બળદો ને લાપસી ભોજન પીરસતા દામનગર ના હાલ મુંબઈ સ્થિત જેન વણિક જીતુભાઇ મોટાણી અને સુરત સ્થિત જય ભગવાન ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા નું અનોખો પરમાર્થભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું બનજો નીર ઉદારદિલ દાતા ઓના જીવન અંજલિ થાજો  દામનગર ના હાલ મુંબઈ સુરત  કર્મભૂમિ બનાવી ખૂબ ઉન્નત થયેલ વ્યક્તિ ઓ ગમે એટલો વિકસે વિસ્તરે પણ વતન ને ક્યારેય વિસરી ન શકે તેવા ઉદારદિલ દાતા પરિવારો માં આવતા દરેક પ્રસંગો માદરે વતન માં આવેલ અબોલ જીવો સાથે ઉજવી અનોખો સંદેશ આપ્યો હતોદામનગર ના વતન પ્રેમી જીતુભાઇ મોટાણી અને જય ભગવાન ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા ના પુત્ર રત્ન ના જન્મ દીને અબોલ જીવો માટે ખોળ ગોળ લાપસી નિરણ કરાવી ઉજવ્યો જન્મ દિન ૪૦૦ થી વધુ બળદો ની નિસ્વાર્થ ભાવે સેવા સારવાર લાલન પાલન કરતી જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા માં આશ્રિત બળદો વચ્ચે બંને દાતા પરિવારે પોતા ના પારિવારિક પ્રસંગો પરમાર્થ કાર્ય કરી ને ઉજવ્યા હતા 

Related Posts