અમરેલી

દામનગર થી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન ૨૦૫ દર્શનાર્થીઓ સાથે પ્રસ્થાન થઈ

અમરેલી જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય માંથી ભગવાનશ્રી રામલલ્લા ના દર્શને આસ્થા સ્પેશિયલ ટ્રેન માં દામનગર થી  ૨૦૫ દર્શનાર્થીઓ તબીબી સિક્યુરિટી જમવા અને અલ્પહાર ની અદભૂત વ્યવસ્થા ના માઈક્રો પ્લાન સાથે આજે દામનગર રેલવે સ્ટેશન થી પ્રસ્થાન થઈ  શહેરી વિસ્તાર ના રેલવે સ્ટેશનો નીચે આવતા ગ્રામ્ય ના યાત્રિકો એ પોતા ના નજીક ના રેલવે સ્ટેશને ભવ્ય વિદાય સત્કાર સાથે  રાજુલા સાવરકુંડલા દામનગર ઢસા સ્ટેશનો થી જે તે વિસ્તારો ના ગ્રામ્ય ના યાત્રિકો રૂટ માં આવતા સ્ટેશનો એ એકત્રિત થયા હતા

અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી રામલલ્લા ના દર્શને જતા શ્રધ્ધાળુ ભાવિકો ને યાત્રા સુખમય નીવડે તેવી શુભેચ્છા પાઠવવા શહેર ના સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંગઠનો અગ્રણી ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લા ના દર્શનાર્થીઓ ને લઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન રાજુલા સાવરકુંડલા દામનગર ઢસા સહિત ના રેલવે સ્ટેશનો થી દર્શનાર્થીઓ ઓને લઈ અયોધ્યા જવા આજે ભવ્ય સત્કાર સાથે પ્રસ્થાન થઈ હતી

Related Posts