અમરેલી

દામનગર ધીરજ મોરારીજી અજમેરા હેલ્થ સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ કેન્દ્ર નો પ્રારંભ

દામનગર  શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તાર ના ડાયાલિસિસ ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે ડાયાલિસિસ સેન્ટર નો ગુજરાત સરકાર દ્વારા પ્રારંભ કરાયો છે સપ્તાહ માં એક દિવસ નિષ્ણાંત ટેક્નિકલ સ્ટાફ દ્વારા દામનગર ખાતે આ સેવા લાભ મળશે  દામનગર શહેરી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ના કિડની ના જરૂરિયાત મંદ ડાયાલિસિસ દર્દી ઓને લાભ મેળવવા અનુરોધ દામનગર સરકારી દવાખાના ખાતે ડાયાલિસિસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવતા જરૂરિયાત મંદ દર્દી ઓ માટે ખૂબ રાહત રૂપ નીવડશે.

Related Posts