દામનગર આજરોજ લાઠી તાલુકાના ઠાંસા થી સુવાગઢ ગામ જવાના આશરે ૫.૫ કિલોમીટર જેટલા અંતરનો રસ્તો અંદાજીત રકમ ૯૩ લાખ ૬૧ હજાર ૮૦૦ આઠસો રૂપિયાના ખર્ચે નવા બનતા રસ્તાનું ખાતમુહૂર્ત ઠાંસા ગામનાં નવનિયુક્ત સરપંચશ્રી રમેશભાઇ નવાપરા તથા મુળીયાપટ ગામનાં સરપંચશ્રી બાબુભાઇ મારૂ તથા સુવાગઢ ગામનાં સરપંચશ્રી મુકેશભાઇ ડાભી નાં વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેનશ્રી પુનાભાઇ ગજેરા તેમજ જીલ્લા પંચાયત સીટનાં સદસ્યશ્રી જનકભાઈ પી. તળાવીયાના પ્રતીનિધી તરીકે, તા.પં.સભ્ય મધુભાઇ નવાપરા, લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઇ જમોડ, લાઠી તાલુકા ભાજપ માલધારી સેલના મહામંત્રી ગોપાલભાઇ કમેજળીયા, તા.પં.પ્રમુખના પ્રતીનિધી તરીકે ધર્મેશભાઇ પરમાર સુવાગઢ ગામનાં પૂર્વ સરપંચશ્રી ચંદીદાન ગઢવી, તથા શકિત યુવા સંગઠન ઠાંસા ના યુવા કાર્યકરો, તેમજ ઠાંસા ગામનાં આગેવાન શ્રી હીરાભાઇ નવાપરા, છગનભાઇ નવાપરા, હરીભાઇ નવાપરા, સુવાગઢ ગામનાં આગેવાન શ્રી નરશીભાઇ મેર, અશોકભાઇ બારૈયા, હરજીભાઇ મેર, લાલજીભાઇ મકવાણા, તેમજ મુળીયાપાટ ગામનાં આગેવાન શ્રી હીરાભાઇ મારૂ, ભીમાભાઇ સોલંકી, તેમજ આગેવાનો કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રસ્તા નું નવિનીકરણ થતા ત્રણેય ગ્રામજનોની રસ્તાની મુશ્કેલી દુર થતાં ગામમાં હરખની લાગણી ઉદ્ભવી સરકારશ્રી તેમજ આવેલા આગેવાનોનો આભર વ્યક્ત કરવામાં આવ્યો
દામનગર ના ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ માર્ગ નું ખાતમહુર્ત સ્થાનિક સરપંચો દ્વારા કરાયું

Recent Comments