લાઠી તાલુકાના દામનગર વિસ્તરના ધામેલ ગામે શ્રી કૈલાસ ટેકરી આશ્રમે શ્રીમદ ભાગવત કથા માં ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ પી તળાવીયાએ હાજરી આપી.આજ રોજ શ્રી કૈલાસ ટેકરી આશ્રમ ધામેલ ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું રસપાન કરવામાં આવ્યું અને પૂજ્ય વક્તા શ્રી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ ધામેલ, હજીરાધાર અને પાડરશીંગા ગામના ધૂન મંડળના હરિભક્તો દ્વારા ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયાનું સન્માન કરવામાં આવ્યું તેમજ તાલુકા પંચાયત લાઠી કારોબારી ચેરમેન નરેશભાઇ ડોંડા(માસ્તર) તેમજ બક્ષીપંચ મોર્ચાના કારોબારી સભ્ય લખમણભાઇ બી બાહોપીય તેમજ ધામેલ પરા ગામના સરપંચશ્રી મધુભાઇ કાકડીયા તેમજ ધામેલ ગામના સરપંચશ્રી માધુભાઇ ચીતળીયા તેમજ ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા
દામનગર ના ધામેલ ગામે શ્રી કૈલાસ ટેકરી આશ્રમે શ્રીમદ ભાગવત કથા માં જનકભાઈ તળાવીયા નું સન્માન

Recent Comments