અમરેલી

દામનગર પી એસ આઈ સેગુલીયા ની અધ્યક્ષતા માં નાયબ મામલતદાર ત્રિવેદી ની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

દામનગર શહેર માં પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર ત્રિવેદી ની ઉપસ્થિતિ માં પી એસ આઈ સેગુલીયા ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક મળીઆગામી ભગવાન શ્રી પરશુરામજી ના પ્રાગટય પર્વ ની રથયાત્રા અને ઇદ ના તહેવારો ને ધ્યાને રાખી કોમી એકતા અને ભાઈચારા સાથે બંને તહેવારો ઉજવાય તે માટે સામાજિક આગેવાનો નું સંકલન કરતી બેઠક માં પી એસ આઈ સેગુલીયા દ્વારા જાહેર શાંતિ સુલેહ અંગે સ્થાનિક અગ્રણી ઓને અવગત કરતું માર્ગદર્શન અપાયું બંને ધાર્મિક તહેવારો ભાતૃપ્રેમ એકયતા પરસ્પર ભાઈચારા થી હર્ષ ઉલ્લાસ થી ઉજવો પોલીસ તરફ થી જરૂરી તમામ સહકાર બધોબસ્ત ની સુવિધા ઉપરાંત જરૂરી ચૂસનો કરવા અનુરોધ કર્યો હતો શાંતિ સમિતિ ની બેઠક માં નગરપાલિકા પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા દામનગર સપ્તઋષિ ગ્રુપ ના શાસ્ત્રી મહેશભાઈ પંડયા પત્રકાર નટુભાઈ ભાતિયા અતુલભાઈ શુક્લ વિનુભાઈ જયપાલ હારૂનભાઈ ફ્રુટવાળા રઘુભાઈ સાસલા બાવદિન ચુડાસમા પાલિકા સદસ્ય યાસીન ચુડાસમા મહેબૂબ ચૌહાણ અસલમભાઈ મોગલ સહિત દામનગર શહેર માંથી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી

Related Posts