અમરેલી

દામનગર બસ સ્ટેન્ડ માં દિવ્યાંગ વ્યક્તિ ને પ્રવેશ સુવિધા ભૂલ થી કમાઉન્ડ થતા બંધ થઈ

દામનગર ગુજરાત સરકાર ના પરિવહન વિભાગે અતિ અદ્યતન બસ સ્ટેન્ડ બનાવ્યું પણ દિવ્યાંગ માટે ની વ્યવસ્થા ભૂલ થી બંધ થઈ ગઈ દીવાલ ચણાય જતા પ્રવેશ ક્યાંથી કરવો ? પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ દેશ માં વિકલાંગ વ્યક્તિ ને દિવ્યાંગ નામ આપી દેશ ના દરેક પબ્લિક પેલ્સ માં દિવ્યાંગો સહેલાઇ થી અવરજવર કરી શકે તે માટે દિવ્યાંગ નાગરિક માટે સુંદર વ્યવસ્થા બનાવવા આદેશ થી બેંક સ્કૂલ કચેરી પરિવહન સહિત અનેક અનેક જગ્યા એ દિવ્યાંગો ની વહીલચેર માટે સ્ટેપ ઢાળ રેલીગ બનાવવી ફરજિયાત કરેલ છે પણ અતિ અદ્યતન દામનગર શહેર ના બસ સ્ટેન્ડ માં આવતા દિવ્યાંગો માટે એસ ટી સ્ટેન્ડ માં બુકિંગ કે વેટીંગ માં જવું ક્યાંથી ? ભૂલ થી દીવાલ થઈ ગઈ સૌથી મોટો સવાલ દિવ્યાંગ વ્યક્તિ માટે નવા બસ સ્ટેન્ડ માં ઢાળ તો બન્યો પણ ઢાળ સુધી જવા નો માર્ગ ક્યાં ? ભૂલ થી બંધ થઈ ગયો 

Related Posts