દામનગર શહેર માંથી પસાર થતા સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ નું કામ દામનગર શહેર ના ઘનશ્યામનગર ભગીરથ સોસાયટી વચ્ચે ચાલતું હતું આ રોડ ઉપર કામ કરતી એજન્સી એ એક માસ કરતા વધુ સમય થી પથ્થર ના રોકા પાથરી જતી રહી છે ગોળી જેમ છટકી રાહદારી અને વાહનો ને નુકશાન કરતા આ પથ્થર ના રોકા એજન્સી પાથરી ને કેમ જતી રહી છે ? આ રોડ નું કામ અધૂરું છે કે કરવા નું બાકી છે ? રહેણાંક વિસ્તાર વચ્ચે આવા જોખમી રોકા પાથરી દેનાર એજન્સી ને ચૂસના આપી યોગ્ય કરાય તેવી માંગ સાથે કાર્યપાલક ઈજનેર સાંસદ શ્રી ધારાસભ્ય સહિત ના અગ્રણી ઓને ને આ સમસ્યા અંગે વિગતે પત્ર પાઠવી પત્રકાર નટવરલાલ ભાતિયા એ રજુઆત કરી છે
દામનગર રોડ ઉપર પાથરેલ પથ્થર ના રોકા ગોળી જેમ છટકી રાહદારી વાહનો ચાલકો માટે હાલાકી અંગે કાર્યપાલક સાંસદ ધારાસભ્ય સહિત ને રજુઆત

Recent Comments