અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો બુધવારે નેત્રયજ્ઞ યોજાશે

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિવાર ટ્રસ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ ની તબીબી સેવા એ તા.૨૨/૦૨/૨૩ ને બુધવાર ના રોજ સમય સવાર ૯-૩૦ કલાક થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી ગાયત્રી મંદિર દામનગર ખાતે નેત્રયજ્ઞ યોજાશે આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતા આ કેમ્પ માં દર્દી નારાયણો ને લાવવા લઈ જવા રહેવા જમવા શુદ્ધ ધી નો શિરો ચા પાણી અલ્પહાર ચશ્મા દવા ટીપાં ધાબળો બ્લેન્કેટ વિગેરે સેવા તદ્દન મફત મળશે અતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો ધરાવતી સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ સ્થિત હોસ્પિટલ ની તબીબી સેવા એ યોજાનાર નેત્રયજ્ઞ માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

Related Posts