અમરેલી

દામનગર શહેરમાં ગટરની અકસ્માત ન થાય ત્યાં સુધી જાળીઓ નજીક થી પસાર થવું મુશ્કેલ

વિકાસ..વિકાસ…દામનગર શહેરમાં ગટરની અકસ્માત ન  થાય ત્યાં સુધી જાળીઓ નજીક થી પસાર થવું મુશ્કેલ..!!  પ્રાથમિક સુવિધાઓ માં કોઈ પ્રશ્નો નથી એવા બણગા ફૂકવામાં આવતા હોય છે..પણ દામનગર શહેરમાં તો અનિયમિત પાણી વિતરણ,છાશવારે પાણીની પાઈપ લાઈન તૂટી જવી, રસ્તાઓ ખરાબ,સરદાર સર્કલ આસપાસ સ્પીડ બ્રેકરોનો અભાવ,ગટર ઉપરની જાળીઓ તૂટેલી એટલે શહેરીજનોને કે બહાર ગામથી આવતા વાહનચાલકોને આવી બધી સમસ્યાઓ વચ્ચે થી પસાર થવું વિકાસની વાતો યાદ આવી જાય..

આ તસ્વીર દામનગર શહેરમાં આવેલ નાગરિક શરાફી મંડળી સામેના રોડ ઉપર આવેલ ગટર ઉપરની જાળી ની હાલત ખરાબ છે. જો આ જાળીની હાલત જોતા એવું લાગે છે કે ગમ્મે ત્યારે અકસ્માત થશે…અને કોઈનો જીવ જશે તો જવાબદારી કોની રહેશે…….સત્તાધીશોની કે….ધારાસભ્યની….!!?

Related Posts