દામનગર શહેર પોલીસ પરિવાર આયોજિત ત્રિરંગા યાત્રા યોજાય હતી. પી એસ આઈ છોવાળા ના નેતૃત્વ માં સમગ્ર પોલીસ પરિવાર હોમગાર્ડ જવાનો સાથે પોલીસ સ્ટેશન ખાતે થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ત્રિરંગા યાત્રા ફરી પોલીસ પરિવાર દામનગર દ્વારા સુંદર આયોજન કરાયું હતું પુરા અદબ સાથે ત્રિરંગા યાત્રા ધ્યાનાકર્ષક રીતે ભારત માતા કી જય ઘોષ ના નારા સાથે શહેર ના સરદાર ચોક આવી પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને પુષ્પહાર કરી મુખ્ય બજાર માંથી પોલીસ સ્ટેશન ખાતે વિસર્જન કરાય હતી
દામનગર શહેર પોલીસ પરિવાર આયોજિત ત્રિરંગા યાત્રા યોજાય

Recent Comments