અમરેલી

દામનગર શહેર માં પોલિયો નાબૂદી અભિયાન નો શુભારંભ શહેર માં ૧૫૦૦ બાળકો ને પોલિયો થી રક્ષિત કરવા નું આયોજન

દામનગર શહેર માં પોલિયો નાબૂદી અભિયાન નો શુભારંભરાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત આજ રોજ તારીખ ૨૭/૨/૨૨  ના રોજ દામનગર શહેરી વિસ્તારમાં અલગ અલગ ૭ આંગણવાડી અને ૪  પોઈન્ટ બૂથ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અંદાજીત ૧૫૦૦ બાળકો ને પોલિયો ના બે ટીપાં પીવડાવી પોલિયો થી રક્ષિત કરવાનું સરકારી શ્રી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે, આ સમગ્ર કાર્યક્રમ માં દામનગર નગરપાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા, પ્રિતેશભાઈ નારોલા શહેર મહામંત્રી સતીષગીરી ગોસ્વામી અને લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત સંત શ્રી સેવાદસબાપુ સહિત ના સામાજિક આગેવાનો દ્વારા ઉદ્ઘાટન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, કાર્યક્રમ  સફળ બનાવવા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ, પ્રા. આ. કેન્દ્ર જરખીયા દ્વારા ડૉ. શીતલબેન, RBSK મેડિકલ ઓફિસર ડૉ. હિતેશ પરમાર, રણજીત ભાઈ વેગડા, પ્રિયકાંતભાઈ ભટ્ટી, રાજભાઈ દીક્ષિત, રીનાબેન, આરતીબેન, પૂર્વીબેન, દામનગર ના તમામ આશા બહેનો, તમામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

Related Posts