દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની ભવ્ય પાલખી યાત્રા હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે સંપન્ન

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ની ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી બપોર ના ૩-૦૦ કલાકે પ્રસ્થાન થઈ સાંજ ના ૬-૦૦ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં પહોંચીદામનગર શહેર ભર ના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે પાલખી યાત્રા પુષ્ટ્રિય માર્ગીય મદનમોહનલાલજી ની હવેલી મોટા પીર ની દરગાહ લાડનશા પીર ઝાપા ના હનુમાનજી મંદિર રામજી મંદિર ખોડિયાર મંદિર શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ગેબનશા પીર સહિત ના ધર્મસ્થાન માં પુષ્પહાર ચાદર શ્રદ્ધા સેરણી ચડાવી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે હરહર મહાદેવ ના ગગનભેદી નાદ સાથે પહોંચી હતીસમગ્ર શહેર બપોર પછી સંપૂર્ણ બંધ રાખી પાલખી યાત્રા માં જોડાયું
હજારો શ્રધ્ધાળુ ભાવિકો સાથે શહેર ના મુખ્ય રાજમાર્ગો ની બંને તરફ દર્શનાર્થીઓ એ કુંભનાથ મહાદેવ ના મોહક સ્વરૂપ ના દર્શન કર્યા સપ્તઋષિ બ્રહ્મકુમારો ના નેતૃત્વ માં ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા ના રૂટ ઉપર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચા પાણી શરબત પ્રસાદ ના સ્ટોલ પાલખી યાત્રા ને લઈ સમગ્ર શહેરીજનો માં અદમ્ય ઉત્સાહ હરહર મહાદેવ ના ગગન ભેદી નાદ સાથે શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે હજારો ભાવિકો એ મહાઆરતી ના દર્શન બાદ ફરાળ મહાપ્રસાદ મેળવ્યો હતો પાલખી યાત્રા ને લઈ સ્વંયમ સેવકો સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ખડેપગે રહ્યું હતું પુરા શ્રદ્ધાભાવ સાથે શ્રી કુંભનાથ મહાદેવ ની પાલખી યાત્રા સંપન્ન થઈ હતી
Recent Comments