અમરેલી

દામનગર સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા અન્નદાનના ઓલિયા પૂજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી

દામનગર શહેર માં અન્નદાન ના ઓલિયા પૂજ્ય જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જ્યંતી ની પુરા ધર્મ ઉલ્લાસ થી ઉજવણી સમસ્ત રઘુવંશી સમાજ માં અનેરો ઉત્સાહ પૂજન અર્ચન દીપ માળા મહાપ્રસાદ મનોરથ ભવ્ય શોભાયાત્રા યોજાય બોપર પછી રઘુવંશી સમાજે ધંધા રોજગાર બંધ રાખ્યા પૂજ્ય જલારામ બાપા ની શોભાયાત્રા શહેર ના સરદાર ચોક વિસ્તાર થી લોહાણા વાડી ખાતે વિસર્જન મહા આરતી દીપ માળા નો દર્શનીય નજારો મહા પ્રસાદ ના મનોરથી સ્વ મંજુલાબેન મથુરદાસ ખખ્ખર સાંજ મહા પ્રસાદ ના મનોરથી કમળાબેન પ્રભુદાસ ગોધિયા પરિવાર દ્વારા કરાયેલ સમસ્ત રઘુવંશી સમાજ ના યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું દિવસ દરમ્યાન પુરા શ્રધ્ધાભાવ થી પૂજન અર્ચન દર્શન નો ધર્મ લાભ મેળવતા ભાવિકો 

Related Posts