દામનગર શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ નો ૨૭ મો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાયો વડીલ અગ્રણી ઓ દ્વારા દીપપ્રાગટ્ય કરી ૨૭ માં સ્નેહ મિલન નો રંગારંગ પ્રારંભ સાથે પૂર્વ પ્રમુખ કરશનભાઈ નારોલા નું વર્તમાન પ્રમુખ કરમશીભાઈ નારોલા એ પાઘડી પહેરાવી વિશિષ્ટ બહુમાન કર્યું હતું ૨૭ માં સ્નેહ મિલન માં ઉપસ્થિત સર્વો નો આદર સત્કાર કરતા પ્રમુખ શ્રી કરમશીભાઈ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમાજ માટે સેવારત તબીબ ડો બ્રિજેશ નારોલા નું સેવા પ્રદાન ની સરાહના સાથે સેવારત્ન થી સન્માનિત કરાયા હતા રશ્મિ યોગેશભાઈ નારોલા શિક્ષણ જગત માં બાળ ઘડતર માં માતાપિતા ની મહતા વિષયે મનનીય વ્યક્ત આપ્યું હતું ડો નિશા યશ નારોલા એ માનવ જીવન આરોગ્ય વિષયે સર્વ ને અવગત કર્યા હતા પ્રવીણભાઈ નારોલા એ જ્ઞાતિ ઉત્કર્ષ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું શ્રી સમસ્ત દામનગર લેઉવા પટેલ સમાજ ના ૨૭ સ્નેહ મિલન માં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ના પ્રતિનિધિ રાધવભાઈ વેકરિયા એ યુવા પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય સર્વાગી માટે આકાર પામી રહેલ હોસ્ટેલ પ્રોજેકટ વિદ્યાર્થી ભવન કિરણ મહિલા ભવન સમૂહ લગ્નોત્સવ અંગે વિસ્તૃત માહિતી થી સર્વ ને અવગત કર્યા હતા સરદાર ધામ થી આશિષભાઈ વધાસિયા એ સમસ્ત પાટીદાર સમાજ ની એકતા નું પ્રતીક સમાજ ના આવતા ભવિષ્ય ને નવી ઉંચાઈ લઈ જવા ના અદભુત આયોજનો અંગે માર્ગદર્શન આપ્યું હતું સમારોહ માં નર્સરી જુનિયર કેજી થી લઈ સિનિયર કેજી તેમજ ધોરણ એક થી છ સુધી ના વિદ્યાર્થી ઓને ઉત્સાહ વર્ધક પ્રોત્સાહન ભેટ સોગાદ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા દામનગર શહેર ના સુરત સ્થિત ૧૪ ડોકટર ૨ ચાર્ટર્ડ એકાઉન્ટ ૧ એડવોકેટ નું વિશેષ પ્રદાન બદલ સન્માન કર્યું હતું ૨૭ માં સ્નેહ મિલન સમારોહ માં ઉદારદિલ દાતા પરિવારો ની ઉદારતા એ વિદ્યાર્થી ઓને વિદ્યા અભ્યાસ માટે જરૂરી ભેટ સોગાદ આપી ઉત્સાહ વધારતા અનેકો યુવાનો સહિત વિશાળ સંખ્યા માં દામનગર શહેર ની વ્યક્તિ ની હાજરી એ વતન થી દુર સુરત ખાતે દામનગર પ્રગટાવ્યું હતું ૨૭ માં સ્નેહ મિલન માં લાઠી બાબરા દામનગર વિસ્તાર ના ધારા સભ્ય જનકભાઈ તળાવીયા એ હાજરી આપી હતી રાષ્ટ્ર દેવો ભવ સાથે અનેક મુહિમો અભિયાનો ને સમર્થન કરતા સંકલ્પ સાથે ભવ્યાતિભવ્ય ૨૭ મો સ્નેહ મિલન સંપન્ન થયો હતો
દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ નો ૨૭ મો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાયો

Recent Comments