દામનગર શહેર ના સમસ્ત ૧૧૧ પ્લોટ વિસ્તાર આયોજીત નવદુર્ગા મંદિર ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરાયું જેમાં ૧૧૧ પ્લોટ વિસ્તાર માં રહેતા દરેક મુસ્લિમ પરિવારે એક પંગથે મહાપ્રસાદ મેળવી કોમી એકતા ભાતૃપ્રેમ એકયતા નું ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું હતું સમસ્ત ૧૧૧ પ્લોટ ની શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માં સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી હિન્દૂ – મુસ્લિમ વચ્ચે પરસ્પર સામાજિક સંવાદિતા સમસ્ત માનવ સમાજ માટે ઉત્તમ ઉદારણ રૂપ બની રહે એકમેક ના પૂરક બની ભવ્ય ઉજવણી ની સર્વત્ર સરાહના કરાય રહી છે સમગ્ર ૧૧૧ પ્લોટ વિસ્તાર ને ભવ્ય સુશોભન અને રોશની નો ઝળહળાટ ઠેર ઠેર રંગોળી દીપ માળા સાથે દિવાળી કરતા બમણા ઉત્સાહ થી ભવ્ય અને દિવ્ય ઉજવણી કરી હતી
દામનગર સમસ્ત ૧૧૧ પ્લોટ આયોજિત પ્રતિષ્ઠા મહોત્સવ કોમી એકતા નું ઉત્તમઉદારણ. હિન્દૂ- મુસ્લિમ સમાજે એક પંગથે મહાપ્રસાદ લીધો

Recent Comments