દામનગર સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગર નશાબંધી આબકારી નિયામક ની અધ્યક્ષતા માં વ્યસન મુક્તિ સેમિનાર સંપન્ન
શ્રીસહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય ગાંધીનગર નશાબંધી આબકારી વિભાગ દ્વારા વ્યસન મુક્તિ વિષયે જાગૃતિ સેમિનાર માં ગુજરાત રાજ્ય ના નશાબંધી આબકારી નિયામક સુનિલ કુમાર સાહેબ આઈ એ એસ તેમજ અમરેલી જિલ્લા અધિક્ષક જાડેજા સાહેબ કોલેજ ના પ્રિન્સિપાલ કોલડીયા સાહેબ ની ઉપસ્થિતિ માં કોલેજ ના વિદ્યાર્થી ઓની વિશાળ હાજરી માં વ્યસન નશા થી દુર રહી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા ની હાકલ કરી હતી કાર્યક્રમ માં હાજર વિદ્યાર્થી ભાઈ બહેનો ને ફોલ્ડર ફાઇલ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા વ્યસન મુક્તિ માટે યોજાયેલ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રોફેસર કાકડીયા સાહેબ સરવૈયા સાહેબ ગોસાઈ સાહેબ અલ્પાબેન સુંદર વ્યવસ્થા કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રૂપેશ વ્યાસ દ્વારા કરાયેલ હતું
Recent Comments