અમરેલી

દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ સંપન્ન

દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના તબીબી સહયોગ થી સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો હતોનેત્રયજ્ઞ નું  ઉદ્ધાટન દાતા શ્રી માજી નગરપતિ હરેશભાઈ પરમાર ના વરદહસ્તે  દીપ પ્રાગટય કરી ઉદ્ધાટન કરાયું હતુંસંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ના તબીબી સહયોગ થી નેત્રયજ્ઞ આ સેવા યજ્ઞ  તા૨૮/૭/૨૧ ને બુધવાર ના રોજ સવારે ના ૯-૩૦ થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી ચાલ્યો હતો સેવા યજ્ઞ માં ૧૫૦ થી વધુ દર્દી નારાયણો ની તપાસ કરાય ૩૦ જેટલા મોતિયા ના દર્દી ઓને સંત શ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલ રાજકોટ લઈ જવાયા હતા  સંપૂર્ણ વિના મૂલ્યે આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના ફ્રી ઓપરેશન કરી આપતી સેવા નો લાભ  જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ લીધો હતો  આ કેમ્પ માં આવનાર તમામ વ્યક્તિ એ ફરજીયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ  કોવિડ ૧૯ ની ગાઈડ લાઈન ના પાલન સાથે પ્રવેશ અપાયો  રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ તરફ થી મોતિયા ના દર્દી નારાયણો ને સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે રહેવા જમવા ચા પાણી નાસ્તો દવા ટીપા મફત આપવા માં આવનાર છે 

Related Posts