દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની રાજકોટ હોસ્પિટલ ના તબીબી સહયોગ થી યોજાયેલ નેત્રયજ્ઞ માં જરૂરિયાત મંદ દર્દી નારાયણો ને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી દર્દી ઓને લાવવા લઈ જવા દવા ટીપાં ચશ્માં રહેવા જમવા સહિત ની તદ્દન મફત સુવિધા સાથે યોજાયેલ નેત્ર નિદાન સારવાર કેમ્પ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દામનગર ના સયુંકત ઉપક્રમે યોજાયો હતો તેમાં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા દર્દી નારાયણો ને અલ્પહાર ચા પાણી ની સુવિધા કે કે બુધેલીયા પરિવાર ના ચતુરાબેન બુધેલીયા ના સૌજન્ય પ્રાપ્ત થયું હતું આ સેવાયજ્ઞ નો પ્રારંભ દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ના વરદહસ્તે કરાયો હતો તેમાં દેવચંદભાઈ આલગિયા ભરતભાઈ ભટ્ટ કિશોરભાઈ વાજા રામભાઈ પરમાર ધીરૂભાઇ રાજપૂત જયુભાઈ જોશી બી એલ ચાવડા મહેશભાઈ પંડયા રમેશભાઈ જોશી દિલીપભાઈ પરમાર નારસિંગભાઈ રાજપૂત સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી સ્વંયમ સેવકો ઓની ઉપસ્થિતિ માં યોજાયો હતો
દામનગર સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો

Recent Comments