દામનગર પુરબીયા શેરી ૧૨૫ વર્ષ જુના ગરબી મંડળ દ્વારા એક સદી કરતા વધુ સમય થી નિર્દોષ મનોરંજન કરાય છે પુરબીયા શેરી ગરબી મંડળ નું શહેરીજનો માં ભારે આકર્ષણ રહ્યું છે ઐતિહાસિક અમર પાત્રો ને અભિનય દ્વારા આબેહૂબ ભજવતા ગરબી મંડળ ના યુવાનો દ્વારા મહાપુરુષો ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવાય રહ્યા છે એકડેઠઠ જનમેદની સાથે નવરાત્રી નું એક સૈકા થી અનેરું આકર્ષણ પુરબીયા શેરી ગરબી મંડળ જોવા સમી સાંજ માંજ બેસવા ની જગ્યા રોકી દેતા બાળકો સંપૂર્ણ નિર્દોષ મનોરંજન મુક અભિનય સાથે જનજાગૃતિ અભિયાનો દ્વારા વિવેક પ્રગવતી પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા નવરાત્રી દરમ્યાન હાસ્ય શોર્ય સાહસ કથા સાથે ફિલ્મી ગીતો ઉપર ડાન્સ શ્રોતા ઓની ફરમાઈશ થી રજૂ કરતા રહે છે આજે પુરબીયા શેરી ખાતે ગરબી મંડળ દ્વારા યજ્ઞ સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન કરાયો હતો .
દામનગર સૈકા જુના નિર્દોષ મનોરંજન કરતા પુરબીયા શેરી ગરબી મંડળ નો નવરાત્રી મહોત્સવ યજ્ઞ સાથે સંપન્ન

Recent Comments