દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે એક અજાણ્યા ગાડીના ચાલકે એક મોટરસાઈકલને પાછળથી જાેશભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાઈકલ પર સવાર ત્રણ જમીન પર ફંગોળાતાં ત્રણ પૈકી એકનું મોત નીપજ્યુ હતુ. તા.૫ ઓક્ટોબરના રોજ મોટાનટવા ગામે પલીકપુર ફળિયામાં રહેતાં સતિષભાઈ નારસીંગભાઈ બામણીયા, રાહુલભાઈ તથા અર્જુનભાઈ એમ ત્રણેય જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ મોટાનટવા ગામેથી ઘરે જઈ રહ્યાં હતાં. તે સમયે એક અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર ઉપરોક્ત ત્રણેય જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટતાયાં હતાં. જેને પગલે અર્જુનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.જ્યારે સતિષભાઈ તથા રાહુલભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઈજાગ્રસ્ત સતિષભાઈ નારસીંગભાઈ બામણીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments