ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ વિનય કુમાર સકસેનાને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. હાલમાં અનિલ બૈજલે ૧૮ મે ના રોજ વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું જે સરકારે સ્વીકારી લીધું હતું,ત્યારબાદ કેન્દ્ર સરકારે વિનય કુમારને નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે, જેની જાહેરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યાલયે સોમવારે કરી હતી. રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી અજય કુમાર સિંઘે જણાવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિએ વિનય કુમાર સક્સેનાને તેમની ફરજાેનો ચાર્જ સંભાળવાની તારીખ જાહેર કર્યાની સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરતા આનંદ વ્યક્ત કર્યો છે. સક્સેના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળની સંસ્થા ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના વર્તમાન અધ્યક્ષ છે. માર્ચ ૨૦૨૧ માં, તેમને ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી માટે રાષ્ટ્રીય સમિતિના સભ્ય તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા.
નવેમ્બર ૨૦૨૦ માં, તેમને વર્ષ ૨૦૨૧ માટે પદ્મ પુરસ્કાર પસંદગી પેનલના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. ૧૯૮૪ માં, વિનય કુમાર સક્સેના રાજસ્થાનના જાણીતા જેકે ગ્રુપમાં સહાયક અધિકારી તરીકે જાેડાયા. રાજ્યમાં જૂથના સફેદ સિમેન્ટ પ્લાન્ટમાં, તેમણે વિવિધ ક્ષમતાઓમાં ૧૧ વર્ષ સુધી કામ કર્યું. ૧૯૯૧માં, તેમણે નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝ ની સ્થાપના કરી, જેનું મુખ્ય મથક અમદાવાદમાં હતું. દ્ગઝ્રઝ્રન્ કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા માન્ય છે. ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી, વિનય સક્સેનાને માનનીય વડા પ્રધાન દ્વારા દર વર્ષે “જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે વડા પ્રધાનના પુરસ્કારો” ના મૂલ્યાંકન માટે ‘સત્તાધારી સમિતિ’ના સભ્યોમાંના એક તરીકે નામાંકિત કરવામાં આવે છે. આ ઉચ્ચ સત્તાવાળી સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવ કરે છે, આમાં વડાપ્રધાનના અધિક મુખ્ય સચિવ, નીતિ આયોગના સીઈઓ અને વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદોના સચિવ આ સમિતિના સભ્ય છે.















Recent Comments