એફએસએલને સ્થળ પરથી પાવડર મળ્યો, દિલ્હી પોલીસને તપાસ દરમિયાન શાળાની દિવાલ પર સફેદ પાવડર પણ મળ્યો. દિલ્હીના રોહિણીમાં થયેલા વિસ્ફોટથી રાષ્ટ્રીય રાજધાનીમાં ખળભળાટ મચી ગયો છે. આ બ્લાસ્ટ પ્રશાંત વિહારમાં ઝ્રઇઁહ્લ સ્કૂલ પાસે થયો હતો. બ્લાસ્ટ બાદ અફરાતફરી મચી ગઈ હતી. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે આસપાસની દુકાનોના કાચ તૂટી ગયા હતા. બ્લાસ્ટ બાદ તરત જ સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, સીએફએસએલ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. સ્નિફર ડોગ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દિલ્હી પોલીસ આ વિસ્ફોટનું કારણ શોધી રહી છે. પોલીસને શાળાની દિવાલ પર થોડું નુકસાન જાેવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર એફએસએલને ઘટનાસ્થળેથી વાયર જેવી વસ્તુ પણ મળી આવી છે. આ સિવાય દિલ્હી પોલીસને તપાસ દરમિયાન સ્કૂલની દિવાલ પર સફેદ પાવડર પણ મળ્યો હતો. વિસ્તારના લોકોનું કહેવું છે કે ખૂબ જ જાેરદાર વિસ્ફોટ થયો હતો. તેમને લાગ્યું કે સિલિન્ડર ફાટ્યો હશે. જ્યારે લોકો બહાર આવ્યા ત્યારે તેમણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જાેયા અને દુકાનો અને વાહનોના કાચ તૂટેલા હતા, પરંતુ વિસ્ફોટનું કારણ કોઈને સમજાયું નહીં. સદનસીબે બ્લાસ્ટમાં કોઈને ઈજા થઈ ન હતી. દિલ્હી પોલીસ, દ્ગૈંછ, દ્ગજીય્ સહિત તમામ મોટી એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ મામલામાં તપાસની જવાબદારી પણ થોડા દિવસો પછી દ્ગૈંછને સોંપવામાં આવી શકે છે. એનઆઈએની ટીમ પ્રારંભિક તપાસ કરવા અને પુરાવા સંબંધિત ઈનપુટ એકત્રિત કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર તહેવારો દરમિયાન દિલ્હીમાં મોટા આતંકવાદી ષડયંત્ર અંગે ગુપ્તચર માહિતી મળી હતી, ત્યારબાદ તમામ જિલ્લાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. એલર્ટ મુજબ દરેક જગ્યાએ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
ટીમોએ ગઈ રાતથી આજે સવારે ૯ વાગ્યા સુધી સીઆરપીએફ સ્કૂલની આસપાસના કેટલાય કિલોમીટરના અંતરે આવેલા મોબાઈલ ટાવર પર કેટલા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા તેનો ડેટા સ્કેન કરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારનો ડમ્પ ડેટા લેવામાં આવશે, જેનાથી ખબર પડશે કે ગઈકાલથી સવારે બ્લાસ્ટ સુધી કેટલા ફોન એક્ટિવ હતા. તે સક્રિય ફોન વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ૧૩ વર્ષ બાદ બ્લાસ્ટ થયો છે. ૨૦૧૧ પછી દિલ્હીમાં કોઈ બ્લાસ્ટ થયો નથી. લગભગ બે વર્ષ પહેલા ગાઝીપુર ફૂલ માર્કેટમાંથી એક ૈંઈડ્ઢ મળી આવ્યો હતો. દિલ્હી પોલીસના સૂત્રોનું પણ કહેવું છે કે કેટલાક ષડયંત્રની શક્યતા નકારી શકાય તેમ નથી. આ બ્લાસ્ટ બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ છે. મોટા બજારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
Recent Comments