આગામી તા.૨૨/૧૦/૨૦૨૨ થી તા.૨૬/૧૦/૨૦૨૨નાં રોજ દિવાળી/નુતનવર્ષનાં તહેવાર નિમિતે ભાવનગર શહેરમાં મુખ્ય બજારોમાં તહેવારોને કારણે ખુબ જ ઘસારો થવાની સંભાવના હોય, જેનાં અનુસંધાને ટ્રાફીકનું નિયમન કરવાની જરૂર જણાતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ભાવનગર શહેરમાનાં ઘોઘાગેટ ઝુલેલાલ મંદિરથી ખારગેટ સુધીનો રસ્તો બન્ને તરફ, શેલારશા ચોકથી હેરીશ રોડ સુધી બન્ને તરફ, બાર્ટન લાઈબ્રેરીથી વોરાબજાર થી ગોળબજાર સુધી બન્ને તરફ, હેવમોર ચોકથી ગંગાજળીયા તળાવ થી ઘોઘાગેટ ચોક સુધી બન્ને તરફ, હલુરીયા ચોકથી હાઈકોર્ટ રોડથી ઘોઘાગેટ ચોક સુધી બન્ને તરફ, હલુરીયા ચોક પીરછલ્લા રોડથી ટી.બી.જૈન ગર્લ્સ હાઈસ્કુલ સુધી બન્ને તરફ, જમાદાર શેરીથી મેઇન બજારનાં નાકા સુધી બંન્ને તરફ કોઇપણ જાતનાં ભારે તથા હળવા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે તેમજ આ તમામ રસ્તાઓને તા.૨૭/૧૦/૨૦૨૨નાં કલાક ૧૪-૦૦ થી ૨-૦૦ કલાક દરમ્યાન તમામ વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જહેરનામાંનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ સજાને પાત્ર થશે. મહેસુલ, પંચાયત, હોસ્પિટલ, વીજળી, ફાયરબ્રિગેડ,પોસ્ટલ વાહનો, ડેરી વાહનો, પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મિડીયા વગેરે જેવી આવશ્યક સેવાઓને, સંબંધીત સ્ટાફને આ જહેરનામું લાગુ પડશે નહી.
દિવાળીનાં તહેવાર નિમિતે ટ્રાફીક નિયમન અંગેનુ જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Recent Comments