ચલાલામાં વિનામૂલ્ય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા અને લંડનમાં રહેતા મંજુ દીદી નાગજી સેજપાલ પ્રેરિત ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા આજે ચલાળા ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ માનવ મંદિરના મુખ્ય સંચાલક સેવાભાવી જયસુખભાઈ ચોહાણના નિમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા ધારાસભ્ય જે. વી. કાકડિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકાયા બાદ સંસ્થા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કર્યા બાદ આ મંદિરના પૂજારી નટુ મહારાજ કુબાવતે ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. તેમજ પ્રકાશભાઈ કારીયા અને ધારાસભ્ય જે. વી. કાકડીયાએ સંસ્થા દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી તેમજ આ કેમ્પમાં તબીબી સેવા આપલા આવેલ તબીબો અને આ સંસ્થાના મુખ્ય સંચાલક જયસુખભાઈ ચોહાણ અને તેમજ તેમના મિત્રોને ધન્યવાદ આપી અભિનંદન પાઠવ્યા હતા અને પોતાના રાજીપો વ્યક્ત કર્યો હતો.
આજે બપોરના બે કલાકે સુધી આવેલા આ કેમ્પમાં ચલાલા પંથકના જુદા જુદા રોગોના કુલ ૩૭૦ રોગોના નિદાન કરાવ્યા વિનામૂલ્યે દવા મેળવી હતી આમ દીદી મંજુ નાગજી સેજપાલના માર્ગદર્શનમાં ત્રિવેણી સંગમ માનવ મંદિર દરરોજ વિનામૂલ્ય અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિ ચાલુ છે અને દરરોજ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે. અહીં દરરોજ બે ટાઈમ ભૂખ્યાને ભોજન આપી સદાવ્રત ચાલે છે, બાળકોને દરરોજ વિના વિનામૂલ્ય શિક્ષણના ક્લાસીસ, જરૂરિયાતમંદ પરિવારને રાશનકિટ,ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, સહિત ધાર્મિક કાર્યક્રમો અવિરત ચાલુ છે. પરિવારને ગાયોને ઘાસચારો પક્ષીઓને જણ સહિત ધાર્મિક કાર્યક્રમો અવિરત પણ ચાલુ છે મુખ્ય સંચાલક જયસુખભાઈ ચોહાણ અને તેમના મિત્રો સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખૂબ નિષ્ઠાવાન છે અને ભારે ઉઠાવી રહ્યા છે. આજના આ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં ચાંપરડાના વંદનીય સંત શ્રી મુક્તાનંદ બાપુ સ્થાપિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જુનાગઢના તજજ્ઞ ડોક્ટરો ડો. રોહિત બાલસા, ડો. કૌશલ ડાવરા, ડો. આર્વીકોર બુચ, ડો. ગૌરવ મેરજા, ડોક્ટર અંકિત લોહિયા, ડો. દેવેન પાંચોટીયા, ડો. તેજન હપાણી, ડો. કીર્તિ જસાણી, ડો. પાર્થ સવાણી જેવા નિષ્ણાંત ડોક્ટરે વિનામૂલ્યે પ્રશંસનીય સેવા આપી હતી એમ પ્રકાશ કારીયાએ એક યાદીમાં જણાવેલ હતું
Recent Comments